MPમાં મોટી દુર્ઘટના: બસ પુલ પરથી નીચે ખાબકતા 15ના મોત, 25 ઘાયલ

Contact News Publisher

મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં ઈન્દોર તરફ જઈ રહેલી બસ પુલ પરથી નીચે ખાબકી છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનમાં ખરગોન ટેમલા રોડ પર દાસંગા પાસે જ પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બસ પુલ પરથી નીચે ખાબક્યા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.