વધુ એક ભાજપના નેતાનું સંગઠનમાંથી રાજીનામું, પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીનું રાજીનામું

Contact News Publisher

ગાંધીધામ રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપના વધુ એક નેતાએ સંગઠનમાંથી રાજીનામું આપ્યું છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામા અંગે પંકજ ચૌધરીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી અને મૌન સેવી લીધું છે.પંકજ ચૌધરીને યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી. ત્યારે તેઓ આ જવાબદારીમાંથી પણ મુક્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભાજપમાંથી ભાર્ગવ ભટ્ટ અને પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામા આપ્યા હતા. ત્યારે હવે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે.