એક તરફ બનાસકાંઠાના અમીરગઢમાં વાહન ચાલકે સ્કૂટરને ટક્કર મારતા 2નાં મોત, બીજી બાજુ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સર્જાયો અકસ્માત
ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગને કારણે દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે વધુ બે અકસ્માતની ઘટના સામે આવી છે. બે અલગ-અલગ ઘટનામાં 2 વ્યક્તિના કરૂણ મોત થયા છે. પ્રથમ ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે અકસ્માતમાં સ્કૂટર સવાર 2 વ્યક્તિના મોત તો બીજી ઘટનામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ બંને ઘટનાઓને લઈ સંબંધિત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધનપુરા પાટીયા નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હિટ એન્ડ રનની ઘટનામાં સ્કૂટર સવાર બે વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. રાત્રી દરમ્યાન અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બે વ્યક્તિના મોત થયા હતા. ઘટનાને લઈ અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.
આ તરફ રાજકોટ-અમદાવાદ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો આવ્યો છે. વિગતો મુજબ નાગજી કુમારખાણીયા નામના વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. જેમાં ટેમ્પો ચાલકે મોટર સાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ વાહન ચાલક વિરૂધ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.