‘સમાજની ચિંતા એ જ મેનેજમેન્ટની ચિંતા’, અંતે LVP હેરિટેજના ગરબામાંથી શિહાબ પઠાણની એજન્સીને દૂર કરાઇ
Contact News Publisher
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે વિવાદ વકરતા બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ગરબાના આયોજનમાંથી હટાવી દીધી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને સંત જ્યોર્તિનાથ મહારાજના વિરોધ બાદ શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ કંપનીને આયોજનમાંથી હટાવી દીધી છે. વિવાદ વકરતા વર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને કંપનીને હટાવ્યાની સત્તાવાર જાહેરાત કરી છે.