ઓછી આવકથી ઘર ચલાવવામાં તકલીફ : યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

Contact News Publisher

પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે ચાયડા વગામાં રહેતા પ્રવીણ અમરસિંહ પઢિયાર ઉંમર વર્ષ 40 એ પોતાના ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રવીણનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતક પ્રવીણ ખેતી કામ અને બીડી બનાવવાનું પણ કામ કરતો હતો. આવક ઓછી હોવાથી ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય કંટાળી જઈને તેને અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

Exclusive News