અમદાવાદના વસ્ત્રાલના BRITISH PIZZA માં જમવા ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ, હવે સલાડમાંથી ઇયળ નીકળી

Contact News Publisher

રાજ્યમાં વધુ એકવાર પીઝા રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વિગતો મુજબ અગાઉ પણ અમદાવાદ અને અનેક શહેરોમાં પીઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ તરફ વધુ એક પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. જેથી ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી.

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત મોડી રાત્રે જમવા ગયેલા ગ્રાહકને આ કડવો અનુભવ થયો હતો. જેમાં બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને ગ્રાહકે હોટલ સંચાલકોને ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે હજી સુધી AMCને જાણ નથી કરાઇ.

મહત્વનું છે કે, ગુજરાતમાં છાશવારે કોઇને કોઇ રેસ્ટોરન્ટના જમવામાંથી જીવાત નીકળી હોવાના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી બધી ઘટનાઓ બાદ પણ તંત્ર કે રેસ્ટોરન્ટના માલિકોના પેટનું પાણી કેમ નથી હલતું. શા માટે આવી બેદરકારીને ચલાવી લેવાય છે. શું આવી રેસ્ટોરન્ટોને સીલ મારી મસમોટો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી ના થઇ શકે?