છત્રાલની કંપનીમાં છત પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

Contact News Publisher

કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા એક કંપનીમાં છત ઉપર પતરા લગાવવાની કામગીરી ચાલતી હતી જેમાં શ્રમિકો પતરા લગાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિકે પતરા ઉપર પગ મુકતા પતરું તૂટી પડયું હતું જેના પગલે તે નીચે પડકાયો હતો જેમાં કામદારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું  હતું.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના હરીદર્શન સોસાયટીમાં રહેતો ભગવાન હકી મહંતોષ ૨૧ મૂલ રહે બિહાર યુવક છત્રાલમાં આવેલા શાલીન ઇન્ટર મીડિયેટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં છત ઉપર પતરા લગાવવાનું કામ કરતો હતો ત્યારે તેણે એક પતરા ઉપર પગ મુકતા પતરું તૂટી ગયું હતું અને તે નીચે પટકાયો હતો તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

આ  બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે કલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવવા અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.