સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતની અલગ અલગ 3 ઘટનામાં 4 લોકોના મોત
રાજ્યના સુરેન્દ્રનગરમાં અલગ અલગ માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ફુલગામ, લાલપુર અને જૈનાબાદ પાસે અકસ્માત સર્જાયા હતા. આ ત્રણેય અકસ્માતોમાં કુલ 4 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે. ફુલગામના લીલાગ્રામ નજીક ડમ્પર અને આઈસર ટ્રકની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળ પર બેના કરૂણ મોત નિપજ્યા હતા.
ફુલગ્રામ નજીક ડમ્પર સાથે આઇસર અથડાતા ઘટના સ્થળે જ 2 લોકોના મોત નિપજ્યા
સુરેન્દ્રનગરના લાલપુર નજીક ઓવર સ્પીડમાં આવી રહેલી કાર ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, આ ઘટનામાં એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, ત્રીજી ઘટના જૈનાબાદમાં થઈ હતી. જેમાં ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે બાઈક સવારનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
જૈનાબાદ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું પણ મોત નીપજ્યું
આમ સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.