દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો હવે શું-શું બદલાવ થશે?

Contact News Publisher

આદર્શ આચાર સંહિતા લાગુ, ‘રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નહી જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે’

લોકસભાની ચૂંટણી તારીખની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જ્યારે કોંગ્રેસ પણ બીજી યાદી જાહેર કરી દીધી છે. જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગી ગઈ છે. જે આચર સંહિતાને લઈ કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અગાઉ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 460 થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી તથા 1.32 લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

આપણા દેશના ચૂંટણી પંચે ચૂંટણીને લઈ કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા જે આધિન નીતિ નિયમો મુજબ જ ચૂંટણી કરાવી શકાય છે. જે નીતિ નિયમોનું પાલન રાજકીય નેતાઓથી લઈ સામાન્ય નાગરિકને પાલન કરવાના હોય છે. વિગતો મુજબ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે તે રાજ્ય અથવા સમગ્ર દેશની આચારસંહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. નોંધનિય છે કે, 1962ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ સંહિતાનું વિતરણ કર્યું હતું. આચારસંહિતા દરમિયાન સરકારી કચેરીઓમાં સામાન્ય જનતાને લગતા રોજિંદા કામને અસર થશે નહીં તેઓ ચાલુ રહેશે. જે કામ ચાલી રહ્યું છે અથવા શરૂ થયું છે તે ચાલુ રહેશે.

ક્યાં સુધી અમલમાં રહેશે
ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ ગઈ છે. આ વખતે આચાર સંહિતા આજથી એટલે કે 16 માર્ચ 2024થી લાગુ થઈ છે. કારણ કે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે

આદર્શ આચાર સંહિતામાં આ કાર્યો નહિ થાય

  • આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં.
  • રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકતી નથી.
  • આચારસંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો.
  • રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નહી. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે.
  • રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી શકતા નથી.
  • ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રતિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
  • ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે.
  • જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી. ભલે તે કોઈ પણ હોય.

    ‘ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ ‘
    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, ચૂંટણીમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન રહેશે. દેશમાં કુલ મતદાતાઓ 96.8 કરોડ છે. જેમાં પુરૂષ મતદાતા 49.7 કરોડ છે જ્યારે 47.1 કરોડ મહિલાઓ છે તેમજ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ 48 હજાર છે. વધુમનાં વિગતો આપતા કહ્યું હતું કે, પ્રથમવાર મતદાન કરતા મતદાતાઓ (18-19 વર્ષ) 1.8 કરોડ છે. તો 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદાતાઓ છે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જણાવ્યું કે, 96.8 કરોડ નોંધાયેલા મતદારો નોંધાયા છે. જેની સામે 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ, 55 લાખ EVM, 4 લાખ વાહનો છે.ચૂંટણીમાં બળ અને ધનના ઉપયોગને રોકવા માટે ચૂંટણી કમિશન કટિબદ્ધ છે. ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન નથી, જે રોકવા માટે કડક પગલા લેવામાં આવશે.