મોડી રાત્રે નશામાં ધૂત કિન્નરનો મૃતદેહ હોટલમાંથી મળ્યો, પરિવારે ઉઠાવ્યા સવાલ

Contact News Publisher

સુરતમાં રોજે રોજ હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે અડાજણ-પાલ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર કિન્નર તેના મિત્ર સાથે ઓયો હોટલમાં ગયું હતું. અહિં નશો કર્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પરિવારજનોએ હત્યાનો આરોપ મૂક્યો છે. જ્યારે પ્રાથમિક તબક્કે આત્મહત્યા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.

અડાજણ પાલ વિસ્તારમાં સેવન ડે સ્કૂલની સામે આવેલી ઓયો હોટલ સ્કાય પ્લેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે, પ્રિન્સિ પટેલ એટલે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રે મર્ડર થયું છે. તે મિત્ર સલમાન શેખ સાથે રાત્રે ઓયો હોટલમાં ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડબોડી મળી આવી છે. જેથી તેનું મર્ડર થયું હોવાના આક્ષેપ સાથે વધુમાં પરિવારે કહ્યું કે, પોલીસ દ્વારા અમને ડેડબોડી જોવા પણ દેવામાં આવી નથી.

અડાજણ-પાલ પોલીસનું કહેવું છે કે, સાહિલે આત્મહત્યા કરી છે. જ્યારે પરિવાર વાળાનો આક્ષેપ છે કે, ઓયો હોટલ સ્કાય અને અડાજણ પાલ પોલીસની મિલીભગતથી મર્ડરને આત્મહત્યામાં ખપાવવામાં આવી રહી છે. હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે. આવનારા સમયમા જ ખબર પડશે કે સાહિલનું મર્ડર છે કે આત્મહત્યા? ઓયો હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલ સલમાન શેખને પકડીને પાલ પોલીસ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ અગાઉ પણ હોટલમાં પ્રેમિકા સાથે ગયેલા પ્રેમીનું મોત થયું હતુ. જેની તપાસ પણ હાલ ચાલી રહી છે.