રાજકોટ: શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
રાજકોટની ભાગોળે શાપર નજીક ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.. શાપર વેરાવળ અને આસપાસ આ વિસ્તારમાં આંચકાની અનુભૂતિથઇ હતી.. આ પહેલા પણ શાપર અને આસપાસનાં વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી.
રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.