નડિયાદમાં માંગરોલી રોડ પર ટુવ્હીલરની ટક્કરે બાઈક ચાલકનું મોત નીપજયું
Contact News Publisher
માંગરોલી સોડપુર રોડ ઉપર મોટર સાયકલ પર ઘરે જતા વૃદ્ધના બાઈક સાથે એક્ટિવા અથડાતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યુ હતુ. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના સોડપુરમાં રહેતા સનાભાઈ સોમાભાઈ ચાવડા (ઉં.વ.૬૫) ની અલીન્દ્રા ખાતે મોટર રીવાઇડીંગની દુકાન આવેલી છે. તેઓ રવિવારે બપોરે અલીન્દ્રાથી મોટર સાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન માંગરોલી તળાવ રોડ ઉપર સામેથી પુરઝડપે આવેલી એક્ટિવા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી ગંભીર ઈજાઓ પહોંચતા સનાભાઇ ચાવડાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે યોગેશભાઈ નટુભાઈ ચાવડાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.