ટંકારાના હરિપર ગામ પાસે બારોટ પરિવારને અકસ્માત નડ્યો, બેના મોત અને 5 ઘાયલ

Contact News Publisher

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીના ટંકારા લતીપર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના બારોટ પરીવારને અકસ્માત નડ્યો હતો.

કારા તાલુકાના હિરાપર ગામના પાટીયા ગામ નજીક કાર પલ્ટાઈ ગઈ હતી. કારમાં 7 લોકો સવાર હતા.

મૃતક:

નિર્મળાબેન રાજેશભાઈ સોનરાજ(ઉ.૬૫)

ગૌરીબેન રામકુમાર રેણુકા(ઉ.૭૦)

ઈજાગ્રસ્ત:

શક્તિ રાજેશભાઈ બારોટ (ઉ.૩૯), 
જલ્પાબેન (ઉ.૩૦), 
આસ્થા (ઉ.૯)
તુલસી (ઉ.5),
જીનલ (ઉ.1.5)

હિરાપર ગામના પાટીયા નજીક કાર પલ્ટાઈ ગઈ હતી. કાર પલ્ટાતા દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના બારોટ પરીવારના 7 સભ્યો માંથી 5 સભ્યો ઘાયલ થયા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા  ઘાયલોને  ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.