અમદાવાદ પિરાણા દરગાહ જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ, ગામમાં અજંપાભરી સ્થિતિ

Contact News Publisher

પિરાણા દરગાહની જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર પીરાણા ગામમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અમદાવાદ નજીકના પિરાણા ગામમા બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરગાહની જમીનના વિવાદમાં થઈ હતી. દરગાહના પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો ફરીથી વિવાદ ઉભો થયો છે. આ મામલે અગાઉ પણ મોટો વિવાદ થયો હતો.