ભરુચ:પત્નીની આત્મહત્યા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાત
![](https://maashapuranews.com/wp-content/uploads/2024/07/33.png)
ભરૂચમાં રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના ઘટી છે, જેમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા એક પરિવાર ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી. આ ઘટના બાદ પરિવારમાંથી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. સામુહિક આપઘાતની આ ઘટનાના સમાચાર સમગ્ર ભરૂચ શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.