પત્ની-બાળકોને મારીને કેમ પંખે લટક્યો? સુસાઈડ નોટમાં પતિએ આપ્યું કારણ, 3 દિવસ બાદ સડેલી લાશો મળી

Contact News Publisher

બંગાળના બેરકપુરમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશો સડેલી મળી આવતાં હડકંપ મચ્યો હતો. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે શખ્સે પહેલા ત્ની અને બે બાળકોની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે ગળેફાંસો ખાઈને મરી ગયો હતો. રવિવારે આડોશ પાડોશના લોકોને ફ્લેટમાંથી દુર્ગંધ અનુભવાઈ હતી. આ પછી તેમણે ખરદાહ પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી હતી. આ સમાચાર મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, અને વૃંદાવન કર્માકાર, તેની પત્ની મમતા કર્માકાર, આઠ વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રીના મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. વૃંદાવનનો મૃતદેહ લટકતો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોના મૃતદેહ જમીન પર લોહીના ખાબોચિયામાં પડ્યા હતા.