રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ, ફાયર NOC વગર ચાલતી 39 હોસ્પિટલ કરાઈ સીલ
![](https://maashapuranews.com/wp-content/uploads/2024/06/29.png)
Contact News Publisher
રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.
કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ હતી અને 10 પાસે બીયુ પરમિશન જ નહોતું. 53માંથી 6 શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં