ઝીરો અવર્સ માં કચ્છના સાંસદ દ્વારા રેલ્વે સેવા નવી ટ્રેન માટે રજૂઆત
Contact News Publisher
તા. ૨૦/૯ ના લોકસભા મોનસુન સત્રમાં કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ઝીરો અવર્સમાં લોકડાઉન સમયગાળા માં ભુજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન સેવાઓ બંધ થઇ ગઈ છે. તેમાં લોકો અને જનપ્રતિનિધીઓની માંગણી થી લઈ આર્થિક નગરી મુંબઈ-ભુજ વચ્ચે ૧ ટ્રેન સયાજીનગરી શરુ કરવામાં આવનાર છે તેને આવકારના સરકારશ્રી અને રેલ મંત્રાલય ને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છ થી દિલ્હી વચ્ચે માત્ર એક જ ટ્રેન ભુજ – બરેલી ચાલુ હતી. હવે ફરી તે ટ્રેન સાથે અન્ય એક દુરાન્તો જેવી સ્પેશીયલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવી તથા ભુજ – મુંબઈ વચ્ચે પણ સુપરફાસ્ટ ટ્રેન કાયમી ધોરણે શરૂ કરવા રજૂઆત કરી હતી.