ભુજથી વાયા ભાવનગર થઇને મુંબઇ જતી ફ્લાઇટ કાર્યરત થઈ

Contact News Publisher

કચ્છમાં કોરોનાકાળના પાછલા ૭ માસ થી પરિવહનના અનેક વિકલ્પોને માઠી અસર થતાં અનેક પ્રવાસીઓને ભારે હલકી કરવાનો સમય આવ્યો છે ત્યારે હવે ભુજથી મુંબઇ જતી એકમાત્ર ફ્લાઇટ તા.4-12થી દરરોજ આવ-જા કરે છે પરંતુ ફરજિયાત કોરોના ટેસ્ટના કારણે મુસાફરોમાં ઘટાડો થયો છે.

જિલ્લા મથક ભુજને મુંબઇથી સાંકળતી વિમાની સેવા કોરોનાના પગલે લોકડાઉનમાં બંધ કરાયા બાદ અત્યાર સુધી અઠવાડિયામાં 4 દિવસ આવતી હતી. એકમાત્ર એરલાઇન્સ આ ફ્લાઇટની અત્યાર સુધી વાયા દિવ થઇને આવ-જા કરતી હતી પરંતુ તા.4-12, શુક્રવારથી આ ફ્લાઇટની રોજિંદી સેવા શરૂ કરાઇ છે. જો કે, શુક્રવારથી આ ફ્લાઇટ વાયા દિવ થઇને નહીં પરંતુ વાયા ભાવનગર થઇને આવન-જાવન કરતી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તા.4-12થી આ સેવા રોજિંદી કરાઇ હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં મુસાફરો નથી મળતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *