ભૂકંપથી 30,000 વર્ષમાં કચ્છના ખાત્રોડ ડુંગરમાં ધરખમ ફેરફાર
ખાત્રોડ ડુંગરમાં છેલ્લા 30,000 વર્ષોમાં મોટી ધરતીકંપની ઘટનાઓને પરિણામે લેન્ડસ્કેપમાં અદભૂત ફેરફારો થયા છે, જે કાંપના નમૂનાઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.‘એન્જિનિયરિંગ જીઓલોજી’ અને ‘અર્થ સરફેસ પ્રોસેસીસ એન્ડ લેન્ડ ફોર્મ્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન મુખ્યત્વે સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના FIST પ્રોગ્રામ હેઠળ ભંડોળ પૂરું પડયું હતું અને ઉચ્ચ સ્તરના વૈજ્ઞાનિક સાધનો દ્વારા કરાયું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરામાં ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં આવેલા સાધનોનો ઉપયોગ ભૂસ્તરશાસ્ત્રીય અને સંલગ્ન વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન દ્વારા આ અભ્યાસ કરાયો હતો. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે ફોલ્ટલાઇન સાથે એકત્રિત કરાયેલા કાંપના નમૂનાઓની સપાટીનો ઉચ્ચ વિસ્તરણ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ (SEM) અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં સપાટીની ખામીના સૂચક લક્ષણો દર્શાવવામાં આવ્યા હતા.
આ અભ્યાસમાં સપાટીના ભંગાણની લંબાઈ, વિસ્થાપન અને સ્લિપ રેટ જેવા વિવિધ ફોલ્ટ પરિમાણોના આધારે, અભ્યાસનું તારણ આવ્યું હતું કે, ખાત્રોડ હિલ ફોલ્ટ (KHF) એ છેલ્લા 30,000 વર્ષો દરમિયાન ઉચ્ચ તીવ્રતાના ધરતીકંપનું નિર્માણ કર્યું છે અને કચ્છ જમીની સપાટીમાં ભંગાણનો ખતરો પેદા કરવામાં સક્ષમ છે.
આ વિસ્તારમાં ક્ષેત્ર-આધારિત ભૌગોલિક અભ્યાસો દર્શાવે છે કે, ભૂસ્તરીય ઘટનાઓના પરિણામે અહીંના લેન્ડસ્કેપમાં અદભૂત ફેરફારો થયા હતા, જે ફોલ્ટ ઝોનમાં ગુનાવારી નદીમાં વિક્ષેપ અને પુનર્ગઠન દ્વારા પુરાવા મળે છે. અભ્યાસની રસપ્રદ બાબત છે કે, ખાત્રોડ ડુંગરમાં ભૂસ્તરીય ઘટનાઓને કારણે આ વિસ્તારની એ સપાટી ફાટી ગઈ હતી, જે 2001ના વિનાશક ભુજ ભૂકંપ વખતે પણ ફાટી ન હતી.