પીએમએ પી. ગોપીનાથન નાયરના નિધન પર શોક વ્યક્ત કર્યો
Contact News Publisher
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી પી. ગોપીનાથન નાયરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“શ્રી પી. ગોપીનાથન નાયરને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન અને ગાંધીવાદી સિદ્ધાંતો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”