CBSEએ ધોરણ 10ના પરિણામ જાહેર કર્યા પછી પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા
Contact News Publisher
CBSE દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“હું તમામ લોકોને અભિનંદન આપું છું જેમણે તેમની CBSE ધોરણ X પરીક્ષા પાસ કરી છે. હું તેમની આગળની શૈક્ષણિક યાત્રા ફળદાયી બને તેવી શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ યુવાનો આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે.”