અપહરણ કેસમાં આરોપીઓના રેગ્યુલર જામીન મંજૂર
ભુજ : સેશન્સ કોર્ટે અપહરણ અને રૂપિયાની માંગણી કેસમાં બે આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આ કેસના આરોપી મુકેશકુમાર કાનજીભાઈ પટેલ (રહે. અમદાવાદ) અને સંજયસિંહ કમલસિંહ જાદવે ફરિયદીને કારમાં બેસાડીને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ લાખની માંગ કરી હતી જે રૂપિયા ન આપવામાં આવતા ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો. આ બાબતે પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી ત્યારબાદ આરોપીઓને જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા માટે સેશન કોર્ટ ભુજ ખાતે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે કોર્ટે શરતોને આધિને રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા. આ કેસમાં આરોપીના વકીલ તરીકે કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતા, દેવરાજ કે. ગઢવી, નરેશ ચૌધરી હાજર રહી દલીલો કરી હતી.
coffee shop ambience