ઉત્તરપ્રદેશ માં એન્કાઉન્ટરનો સિલસિલો, ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર

Contact News Publisher

UP STFએ ગુરુવારે મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાના (36)ને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. 3 વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતો. થોડા સમય પહેલાં તે જામીન પર છૂટ્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો. દુજાના સામે 18 હત્યા સહિત 62થી વધુ કેસ નોંધાયેલા છે. તે ગેંગ બનાવીને હત્યા અને લૂંટ ચલાવતો હતો. યુપી એસટીએફે છેલ્લાં 6 વર્ષમાં દુજાના સહિત 184 એન્કાઉન્ટર કર્યા છે.

તેણે પશ્ચિમ યુપી ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, હરિયાણામાં પણ આતંક મચાવ્યો હતો. 2011માં તેને નોઈડાના કેસમાં 3 વર્ષની સજા થઈ હતી. બુલંદશહેર પોલીસે તેના પર 25 હજારનું ઈનામ રાખ્યું હતું અને નોઈડા પોલીસે તેના પર 50 હજારનું ઈનામ રાખ્યું હતું. જૂના કેસમાં હાજર ન થવાને કારણે કોર્ટમાંથી દુજાના સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

દુજાનાને સુંદર ભાટી ગેંગ સાથે દુશ્મની હતી. દુજાના પર 2002માં ગાઝિયાબાદમાં હત્યાનો કેસ નોંધાયો હતો. તેણે સુંદર ભાટી પર એકે-47 રાઈફલથી હુમલો કર્યો. ત્યારથી તે પશ્ચિમ યુપીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. દુજાનાએ 2019માં મેરઠ કોર્ટમાં સગાઈ કરી હતી.

ગત સપ્તાહે 2 કેસ નોંધાયા હતા
જેલમાંથી બહાર આવતાંની સાથે જ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી. આ પછી પોલીસે ગયા અઠવાડિયે તેની સામે 2 કેસ નોંધ્યા હતા. નોઈડા પોલીસ અને યુપી એસટીએફ અનિલ દુજાનાની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી. ગત દિવસોમાં 7 ટીમે 20થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવ્યો ત્યારે સાક્ષીઓમાં ભય હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે દુજાના મંડાવલીના એક વેપારીની હત્યા કરવાના ઈરાદે ફરતો હતો.