વાઘોડિયા રોડ પર ચાલતા શ્રાવણિયા જુગાર પર દરોડો બે દંપતી સહિત નવ પકડાયા
વાઘોડિયા રોડ રામવાટીકા સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે રેડ કરીને બે દંપતિ સહિત નવ જુગારીઓને ઝડપી પાડ્યા છેપીસીબી પોલીસને માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ રાધિકા ભવન પાસે રામવાટીકા સોસાયટીમાં રહેતા અજીત વિઠ્ઠલદાસ પરીખના મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાન નો દરવાજો ખુલ્લો હતો ડ્રોઈંગ રૂમમાં કોઈ વ્યક્તિ ન હતી મકાનની અંદર જઈને તપાસ કરતાં બેડરૂમમાં પલંગ પર પાંચ પુરુષો અને ચાર મહિલાઓ બેસીને જુગાર રમતા હતા જેથી પોલીસે 9 જુગારીઓને ધરપકડ કરી તેમની પાસેથી નવો મોબાઈલ રોકડા 21,150 મળી કુલ 66,650 ની મતા કબજે કરી છે પકડાયેલા જુગારીઓમાં(૧) અજીત પરીખ (૨) અજીત ના પત્ની પૂર્વીબેન (૩) નિકુંજ જશવંતભાઈ ઉપાધ્યાય રહેવાસી સત્કાર સોસાયટી કારેલીબાગ (૪) દિનેશ ચેલારામ નરીયાણી રહેવાસી ગોરાના પાર્ક ન્યુ વીઆઈપી રોડ (૫) કનૈયાલાલ ઓછવલાલ દેસાઈ (6) તેમના પત્ની કોકીલાબેન રહેવાસી રત્નદીપ સોસાયટી વાઘોડિયા રોડ (૭) સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ ઠક્કર રહેવાસી ગોયા ગેટ સોસાયટી પ્રતાપ નગર (૮) સારિકા પ્રિતેશભાઈ શાહ રહેવાસી આઈસ ક્યુમ બંગલો બાપોદ જકાતનાકા રોડ (૯) કશ્યપ કિશોરકુમાર દરજી રહેવાસી સ્વામિનારાયણ નગર રામવાટીકાની બાજુમાં વાઘોડિયા રોડ નો સમાવેશ થાય છે