સનાતન ધર્મના યુવાનો દ્વારા હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા લગાવ્યા પોસ્ટરો

Contact News Publisher

સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદ વચ્ચે હવે રાજકોટ શહેરમાં કાર પાછળ પોસ્ટર લાગ્યા છે. હનુમાનજીની સેવા સ્વામિનારાયણના સંતો કરતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગઈકાલે સ્વામિનારાયણ મંદિર બહાર પોસ્ટર લાગ્યા હતા. હવે કાર પાછળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાળંગપુરમાં હનુમાનજીને સેવક ચીતરવાનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે.ત્યારે  રાજકોટ શહેરમાં અમુક યુવાનો દ્વારા પોતાની કારની પાછળ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. સનાતન ધર્મના યુવાનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા પોસ્ટરો લાગ્યા છે. ગઈકાલે રાજકોટના યુવાનો દ્વારા ભુપેન્દ્ર રોડ મંદિર ખાતે પણ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. સનાતન ધર્મી યુવાનો દ્વારા રોજે રોજ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.