ઓડિશામાં વીજળી પડવાથી 12નાં મોત : ચાર લાખનાં વળતરની જાહેરાત

Contact News Publisher

ઓડિશામાં શનિવારે ભારે વરસાદ પડયો હતો. આ દરમિયાન છ જિલ્લાઓમાં વીજળી પડવાથી ૧૨ લોકોનાં મોત થયા હતાં. સરકારે મૃતકના પરિવાર માટે ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

વીજળી પડવાથી ખુર્દા જિલ્લામાં ચાર, બોલાંગીરમાં બે તથા અંગુલ, બોધ, જગતસિંહપુર અને ઢેંકનાલમાં એક એક વ્યકિતનું મોત થયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વીજળી પડવાથી ખુર્દા જિલ્લામાં પણ ત્રણ લોકો ઘાયલ થયા છે.ઓડિશા સરકારના વિશેષ રાહત કમિશનરે જણાવ્યું છે કે ભુવનેશ્વર અને કટક સહિત ઓડિશાના તટીય વિસ્તારોમાં વીજળી પડવાથી ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શંકા વ્યક્ત કરી છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશના ટુરિઝમ સેક્ટરને જુલાઇ અને ઓગસ્ટમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હોટેલ માલિકો નુકસાનને ભરપાઇ કરવા માટે પ્રોત્સાહક પેકેજ જાહેર કરીને પ્રવાસીઓને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના જીડીપીમાં ટુરિઝમ સેક્ટરનો ફાળો ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોય છે. ભારે વરસાદને કારણે જુલાઇ અને ઓગસ્ટમાં ટુરિઝમ સેક્ટરને બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.