હરેકૃષ્ણ મંદિર, ભાડજ અમદાવાદ દ્રારા વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામનું 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવની થશે ઉજવણી

Contact News Publisher

હરેકૃષ્ણ મંદિર, ભાડજ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. આ ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વગેરે જેવા આયોજન  ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાવશે.હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામનું 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.