ઘરમાં ઘુસીને ઉડાવ્યાં 23 કબૂતરોના ડોકા, માળા વિખેરી નાખ્યાં, કારણ કંપાવનારું

Contact News Publisher

જુની અદાવતમાં પક્ષીઓની ઘાતક હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બદમાશોએ શાંતિના પ્રતિક એવા કબૂતરોની જે રીતે હત્યા કરી તે જાણીને કંપી જવાય તેવું છે કારણ માત્ર એટલું જ કે બદમાશોને કબૂતરના માલિક સાથે કંઈક અદાવત હતી અને શખ્સ સાથે વેર લેવા બદમાશોએ તેની તો નહીં પરંતુ તારા પક્ષીઓની એવું માનીને કબૂતરોને મારી નાખ્યાં. કર્ણાટકના હુબલી શહેરના યાવાગલ વિસ્તારમાં કેટલાક બદમાશોએ રાહુલ દાંડેલી નામના શખ્સના ઘરમાં ઘુસીને તેના કબૂતરોની ગર્દન ઉડાવી દીધી હતી અને કબૂતરોના માળા પણ વિખેરી નાખ્યાં હતા.યાવાગલ રહેતો રાહુલ ડિંડોલી નામના શખ્સને કબૂતર પાળવાનો ખૂબ શોખ છે અને તેણે ઘરમાં ઘણા કબૂતરો પાળી રાખ્યાં હતા. ગામમા જ તેને કેટલાક લોકો સાથે જુની દુશ્મની હતી અને દુશ્મનોએ આજે જ્યારે રાહુલ ઘેર નહોતો ત્યારે તેના ઘરમાં ઘુસીને તેના કબૂતરોના ડોકા ઉડાવી દીધા હતા અને માળામાં વિખેરી નાખ્યાં હતા. બદમાશોની આવી હરકતને કારણે રહીશો પણ કંપી ઉઠ્યાં છે અને તેમની સામે આકરી કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.કબૂતર માલિકે પોલીસમાં નોંધાવી ફરીયાદ