વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં વિધિપૂર્વક શ્રીજીની મુર્તિ ની સ્થાપના કરાઈ
Contact News Publisher
ગણેશોત્સવ પર્વ નિમિત્તે શહેરના રાજ મહેલમાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શ્રીજીની મૂર્તિનું ભાવપૂર્વક પૂજા અર્ચન બાદ ગાયકવાડ પરિવાર દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે.
આ શ્રીજીની મૂર્તિની વિશેષતા એ છે કે વર્ષોની પરંપરા મુજબ ઊંચાઈ માત્ર છત્રીસ ઇંચ અને વજન એવું કિલો રાખવામાં આવે છે. ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 84 વર્ષથી બનાવીને ધન્યતા અનુભવે છે આ શ્રીજીની મૂર્તિ સ્થાપન પૂર્વે 40 દિવસમાં તૈયાર કરવામાં આવે છે. શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની માટી ભાવનગર થી મંગાવવામાં આવે છે.
અગાઉ ગાયકવાડી શાસન દરમિયાન સુરસાગરમાં શ્રીજી મૂર્તિના વિસર્જન ટાણે 150 પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ સાથે ફાયરિંગથી સલામી અપાયા બાદ શ્રીજી મૂર્તિનું સુરસાગરમાં ભાવપૂર્વક વિસર્જન ગાયકવાડ પરિવાર દ્વારા કરાતું હતું.