અમદાવાદ: PM મોદીનાં 73 જન્મદિવસ નિમિત્તે 73 શ્રેષ્ઠ ચિત્રોનું પ્રદર્શન

Contact News Publisher

17 સપ્ટેમ્બરના રોજ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે આ વર્ષે AMCની આર્ટ ગેલેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યુ.આ વર્ષે ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરીમાં વિશેષ 73 ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.PM મોદી દ્વારા લેખિત 68 કાવ્યોને આ ચિત્રો દ્વારા રજૂ કરવા માટે 1000 જેટલા લોકોને આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થતા આ ચિત્રોમાંથી કુલ 9 શ્રેષ્ઠ ચિત્રને વિશેષ ઈનામ પણ આપવામાં આવ્યા.વડાપ્રધાનના માતા હીરાબાનું અવસાન થયું છે, ત્યારે આ વર્ષે પ્રથમ જન્મદિવસ એવો છે કે જ્યારે વડાપ્રધાન પોતાના જન્મદિવસે પોતાની માતાને નહીં મળી શકે.અમદાવાદના 90% દિવ્યાંગતા ધરાવતા એક ચિત્રકાર જય ગાંગડીયા એ એક વિશેષ ભેટ નરેન્દ્ર મોદીના જન્મદિવસે તૈયાર કરી છે અને “મિસ યુ મોમ” લખેલું એક ચિત્ર તૈયાર કર્યું છે.