સંતરામપુરના ખેડાપા ગામે બેટમાં ફસાયેલા 8 લોકોનું મહીસાગર પોલીસે કર્યું રેસ્ક્યુ, 200થી વધુ લોકોને ખસેડાયા સલામત સ્થળે
Contact News Publisher
ગુજરાતમાં ગત શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સરકારી અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં 21 તારીખ સુધી ભારે વરસાદની આગાહીને લઈને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે.