સુરત એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગ સમયે પ્લેનના ટાયરમાંથી નીકળી હવા, પછી વિશ્વાસમાં ન આવે તેવું બન્યું, શ્વાસ ‘હવામાં’

Contact News Publisher

સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ છે. ફ્લાઈટના લેન્ડિંગ સમયે પ્લેનના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી.  અત્રે જણાવીએ કે, વેન્ચૂરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી જેને લઈ તેની પાછળ આવતી ફ્લાઈટને થોડીવાર માટે હવામાં જ રાખવામાં આવી  હતી. જો કે, આ ઘટનામાં સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી

વેન્ચૂરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી. જે ફ્લાઈટમાં 5 મુસાફરો સવાર હતા. જે ફ્લાઈટ અમદાવાદથી સુરત આવી હતી. મહત્વનું છે કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. જેથી સુરત એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પાપ્ત માહિતી મુજબ અગાઉ પણ આ જ કંપનીના 9 સીટર પ્લેનમાં ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું.