પોઇચાના સરપંચની ધમકી : નવરાત્રીમાં વધારે પૈસા આપવા પડશે નહીં તો કંપની બંધ કરાવી દઈશ

Contact News Publisher

સાવલી તાલુકાના પોઇચા રાણીયા ગામે આવેલી કંપનીના જનરલ મેનેજરને નવરાત્રીમાં રૂપિયા વધારે આપવા પડશે જો પૈસા નહીં આપો તો કંપનીનું કામકાજ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપનાર ગામના સરપંચ સામે ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ નિરાંત રેસીડેન્સીમાં રહેતા આકાશ નરહરિભાઈ પટેલ ભાદરવા પોલીસ સ્ટેશનમાં પોઇચા રાણીયા ગામના સરપંચ અશોક રણછોડભાઈ ભોઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોઇચા રાણીયા ગામે આવેલી લેકટોઝ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરું છું. તારીખ 23 ના રોજ રાત્રે હું મારા ઘેર હતો ત્યારે સરપંચ અશોકભાઈનો ફોન આવ્યો હતો. તેણે જણાવેલ કે હિતેશ છગન પટેલનું વીજ કનેક્શન કેમ કાપી નાખ્યું છે એટલે મેં જણાવેલ કે કંપનીના ડીપીમાંથી ગેરકાયદે જોડાણ લીધું હોવાથી કાપી નાખ્યું છે. આ સાંભળી સરપંચે અપશબ્દો બોલવાનું શરૂ કર્યા બાદ ફોન કાપી નાખ્યો હતો.