વલસાડ: બસનું ટાયર ફાટતાં લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી, 18 મુસાફરો હતા સવાર, નેશનલ હાઈવે જામ
Contact News Publisher
વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેથી બસમાં સવાર મુસાફરોને જીવના જોખમે ફાયરની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી, આ દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ લાગી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.