બુલેટ ટ્રેનના કારણે અમદાવાદના રહીશો મુશ્કેલીમાં

Contact News Publisher

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ એવી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે શાહીબાગની નિલમબાગ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. સોસાયટીના રહીશોને ડર સતાવી રહ્યો છે કે તેમની સોસાયટી 40 વર્ષ જૂની છે, બુલેટ ટ્રેન માટે જે રીતે પિલરનું કામકાજ ચાલી રહ્યું છે તેનાથી તેમની સોસાયટી વધુ નબળી પડી જશે. જો સાવધાની રાખવામાં નહીં આવે તો તે ધ્વસ્ત પણ થઈ શકે છે.