રાજસ્થાન બોર્ડર પાસે કાર – ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 4 યુવકોના મોત

Contact News Publisher

વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે, બેફામ ડ્રાઈવના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી ડ્રાઈવ કરતા બિન્દાસ અને બેજવાબદાર લોકોના કારણે નિર્દોષો નાગરિકોને રોડ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવવા પડે છે. ફરી એકવાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. શામળાજીથી 6 કિલોમીટર દૂર રાજસ્થાનમાં ગુજરાતના  ચાર યુવકોને અકસ્માત નડ્યો છે. જેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

રાજસ્થાનના ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અરવલ્લીના 4 યુવકો કમકાટી ભર્યા મોત થયા છે. અત્રે જણાવીએ કે, શામળાજીથી 6 કિલોમીટર દૂર રાજસ્થાનમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રોંગસાઈડમાં જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાઈ હતી. જેમાં શામળાજી પાસેના ગેડ, વેણપુર, ખારી અને પાંડરવાડા ગામના રહેવાસી ચાર લોકોના મોત થયા છે. પાપ્ત વિગતો મુજબ આ આકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે તેમજ અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે અકસ્માતના પગલે વીંછીવાડા પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવના પગલે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે.

Exclusive News