83 વર્ષની વયે કરમસદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, પાલવડે બાંધી પ્રિત, મૈયરમાં મનડું નથી લાગતું જેવી અનેક ફિલ્મમાં દમદાર રોલથી થયાં હતાં પ્રસિદ્ધ

Contact News Publisher

ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પંદરેક દિવસ અગાઉ તેઓને પગમાં ફેક્ચર થયું હતું. જેથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં ચારૂબેનની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજરોજ સવારે એકાએક હાર્ટ-એટેક આવતાં ચારૂબેન પટેલનું હોસ્પિટલમાં જ નિધન થયું છે. હાલ, તેમના મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Exclusive News