સાળંગપુર મંદિર નજીક કાર અડફેટે આવી જતા તરુણનું મોત

Contact News Publisher
ભાવનગર : બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે રહેતા તરુણ પોતાની સાયકલ લઈને સાળંગપુર મંદિરના પાકગ તરફ જતો હતો તે દરમિયાન સામેથી આવી રહેલી કારે અડફેટે તરુણને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તરુણ નું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિઘટન અનુસાર બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે રહેતા ભાવેશભાઈ હેમુભાઈ પરમારએ બરવાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,ભાવેશભાઈનો પુત્ર મયુર ભાવેશભાઈ પરમાર ( ઉ.વ ૧૨ ) પોતાની સાઇકલ લઈને સાળંગપુર મંદિરના પાકગ તરફ જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ કાર નંબર જીજે ૦૨ ઈએ ૪૧૩૦ નાં ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી  મયુરની સાયકલ સાથે અથડાવી માથાના ભાગે તેમ જ શરિરે ગંભીર ઈજા પહોચતા ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પિતાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.