નડિયાદના બનાવ બાદ ભાવનગર પોલીસ એક્શનમાં, બે દુકાનોમાંથી સિરપની 15 બોટલો ઝબ્બે

Contact News Publisher

ભાવનગર શહેરમાં આવેલી બે કોલ્ડ્રિંકની દુકાનોમાંથી પેરોલ ફર્લો સ્કવોડે ડ્રાઇવ દરમ્યાન મેઘાસવ અસવ અરીષ્ટા બોટલ નંગ-05 તથા અન્ય આયુર્વેદિક સીરપના નામે વેચાતી બોટલ નંગ-10 મળી કુલ બોટલ નંગ-15 કબ્જે કરી હતી. તદઉપરાંત ગઢડા, સિહોર અને તળાજા ખાતેથી પણ સીરપની બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલ માહિતી આધારે ભાવનગર, બાલયોગીનગર સામે આવેલ વચ્છરાજ કોલ્ડ્રીકસ નામની દુકાનમાં તથા ભાવનગર, ખેડુતવાસ, બુધ્ધ સર્કલ, મચ્છીબજાર ચોકમાં આવેલ ગીરનારી સોડા સેન્ટર નામની દુકાનમાં રેઇડ કરી આયુર્વેદિક સીરપના નામે વેચાતી અને નડિયાદમાં નશા માટે ઉપયોગમાં લેવાયેલ સીરપની બોટલ નંગ-15 બોટલો કબજે કરી દુકાનદારો હિંમતભાઇ દુલાભાઇ સોલંકી ઉ.વ.52 (રહે.પ્લોટ નંબર-35,બાલયોગીનગર, ઘોઘા રોડ, ભાવનગર) રમેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.50 (રહે.પ્લોટ નંબર-૫૫, મચ્છીબજાર ચોક, બુધ્ધ સર્કલ,ખેડુતવાસ, ભાવનગર) વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.