વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગર યુવકને ખેંચી ગયો, ફાયર બ્રિગેડે મૃતદેહ છોડાવ્યો

Contact News Publisher

વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે અનેક વાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ બકરા, કુતરા અને માનવી પર હુમલાના બનાવ બનતા હોય છે. આજે મઘરે એક યુવકનો શિકાર કરતા લોકોના ટોળા જામ્યા હતા.વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ પર આજે મગર એક યુવકના મૃતદેહ સાથે નજરે પડતા લોકો ભેગા થઈ ગયા હતા. મરનાર યુવકે પેન્ટ પહેરેલ હતો અને ઉપર શર્ટ કે ટીશર્ટ કાંઈ ન હતું.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ નદી કિનારે ગોઠવાઈ હતી. જે દરમિયાન ચાર થી પાંચ મગરો ધસી આવ્યા હતા. જ્યારે યુવકનો શિકાર કરનાર મગર મૃતદેહ લઈને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.ફાયર બ્રિગેડે હાકોટા પાડી તેમજ બિલાડી નાખી મગરોને ભગાડ્યા હતા. ત્યારબાદ મૃતદેહ જે દિશામાં લઈ જવાયો હતો ત્યાં સર્ચ કરતા મગર મૃતદેહ છોડીને ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે અજાણ્યા યુવકનો મૃતદેહ બહાર કાઢી રાવપુરા પોલીસને સોંપતા પોલીસે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે તજવીજ કરી છે.

Exclusive News