બનાસ વાસીઓ માટે ગુડ ન્યુઝ: રૂ. 500 કરોડની યોજના કરાઇ મંજૂર, અપાશે નર્મદાનું પાણી, 125 ગામડાઓને થશે ફાયદો

Contact News Publisher

બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી છોડવાથી 125 ગામડાઓને ફાયદો થશે. મહેસાણા મોટીદાઉથી કર્માવદ તળાવ સુધી 62 કિમી લાઇન મંજૂર કરાઈ છે.
અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું
અત્રે જણાવીએ કે, ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરુ કરાશે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. 25 વર્ષથી કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા.
125 જેટલા ગામોને લાભ મળશે
જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાથી ખેડૂતોને મોટો પ્રમાણમાં લાભ થશે. જળ આંદોલન સર્જાયું હતું જેના પગલે સરકારે હિતકારી નિર્ણય લીધો હતો. વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો આનો લાભ થશે. અત્રે જણાવીએ કે, 25 વર્ષથી પડતર માગને સ્વીકારાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે