‘રેમલ’ એક બે દિવસ નહીં 7 દિવસ સુધી મચાવશે કહેર! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર બની રહ્યું છે. આ કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુક્રવારે તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જો આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાયું તો ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થવાની ધારણા છે. ભારતના હવામાન વિભાગએ ચોમાસા અને તોફાનને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.
અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.