ભુજના ધાણેટી અને BKT કંપની વચ્ચે માર્ગ અકસ્માત, 3 ના મોત, સાત ઘાયલ..
હાલ વેકેશનના દિવસો હોવાથી સૌ લોકો પરીવાર સાથે આનંદની પળો માણવા માટે સુંદર જગ્યાઓએ જતાં હોય છે ત્યારે ભુજ માધાપરના ત્રણ પરીવારો મહેસાણાના એક વોટર પાર્ક માંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધાણેટી અને BKT કંપની વચ્ચે આજે (તા. 29-4-2019) ના રોજ વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના જીવ હોમાઈ ગયા હતા અને 7 લોકો ઘાયલ થયા છે.
જી.કે. જનરલ હોસ્પિટલના MLC રિપોર્ટ અનુસાર મૃતકોમાં કારના ડ્રાઈવર રાજેશ પ્રભાશંકર ગોર (ઉ.વ. 42, રહે. વાલદાસનગર, ભુજ), 15 વર્ષીય કોટકનગર, નવાવાસ માધાપર તા. ભુજની પુજા ધનજીભાઇ ભૂડીયા અને 19 વર્ષીય આંબેડકરનગર, મિરઝાપર તા. ભુજના હિરલબા રાજુભા વાઘેલાના મોત થયા છે.
આ ગમખ્વાર અકસ્માતમાં ધરમબા રાજુભા વાઘેલા ઉ.વ. 19, સન્ની રાજેશ જોશી ઉ.વ. 21, શ્વેતા અરુંભાઇ ગોર ઉ.વ. 22, કસ્તુરબેન ધનજીભાઈ ભૂડીયા ઉ.વ. 45, સ્નેહા મનીષભાઈ મોતા ઉ.વ. 12, હેત્વી રાજેશ ગોર ઉ.વ. 15, રિધ્ધિ રાજેશ જોશી ઉ.વ. 23 વાળાને હળવી ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં સામે તરફી ટ્રક ચાલકની પોલીસે અટક કરીને આગળ ની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટ્નામાં ત્રણ લોકોના મોત થી આસપાસના પંથકમાં અરેરારી ફેલાઈ હતી.. અહેવાલ અને તસવીર કિરણ ગોરી