પોસ્ટલ વિભાગ દ્વારા ”ઢાઈ આખર” વાર્ષિક પત્ર લેખન પ્રતિયોગિતા

Contact News Publisher

દેશના પોસ્ટલ વિભાગ દ્વારા ‘પ્રિય બાપુ, તમે અમર છો…’ જેમાં ” આવનારી પેઢીઓને વિશ્વાસ કરવું મુશ્કેલ હશે કે હાડ-માંસનો બનેલો માનવી પણ આ ધરતી પર અવતરેલ હતો” વિષય પર પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે.

પ્રતિયોગિતા અંતર્ગત ૧૮ વર્ષની ઉમર સુધી અંતરદેશી પત્ર કાર્ડ શ્રેણી (૫૦૦ શબ્દ) તેમજ પરબીડિયાં શ્રેણી (૧૦૦૦ શબ્દ) અને ૧૮ વર્ષની ઉમરથી વધુ અંતરદેશી પત્ર કાર્ડ શ્રેણી (૫૦૦ શબ્દ) તેમજ પરબીડિયાં શ્રેણી (૧૦૦૦ શબ્દ) મુજબની શ્રેણી માન્ય રહેશે. આ લેખન પ્રતિયોગીતામાં પત્ર અંગ્રેજી, હિન્દી અથવા ગુજરાતી ભાષામાં લખી શકાય છે તેમજ આ પત્ર મોકલવાની છેલ્લી તારીખ ૩૦.૧૧.૨૦૧૯ રહેશે જેને મોકલવાનું સરનામું : મુખ્ય પોસ્ટ માસ્તર, જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ છે સાથે જ પ્રતિયોગિતાનું પરિણામ રાજ્ય કક્ષાએ ૩૧.૦૧.૨૦૨૦ અને રાષ્ટ્રીય કક્ષાએ તા. ૩૧.૦૩.૨૦૨૦ સંભવિત જાહેર કરશે તેવું રાજ્ય પોસ્ટલ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *