મોરારિ બાપુ કોઇ કાળે માફી નહી માંગે : મહંત ઇન્દ્રભારતી બાપુ
Contact News Publisher
મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ઊભો થયેલો વિવાદે હાલ સમગ્ર રાજયમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેવામાં જૂનાગઢના ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને મૂળ કચ્છના વિંઝાણના ઇન્દ્રભારતી બાપુ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, મોરારિ બાપુ કોઇ કાળે માફી નહી માગે અને તેને માફી માંગવા પણ નહી દઇએ. મોરારિ બાપુ સનાતન ધર્મના પ્રચારક છે. ત્યારે ધર્મની ટીકા કરનારને કોઇ કાળે સાંખી નહી લેવાય.