સરકાર સારું કામ કરે તો ચોક્કસ વખાણવું પડે ! પ્રદ્યુમનસિંહ જાડેજા

Contact News Publisher

છેલ્લા કેટલાક દિવસથી કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા ઉઠી રહી છે કે શું આ નેતા ભાજપમાં જોડાવાના છે? કારણ કે અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાએલ ધારાસભ્ય ભાજપના નેતાઓના મોંફાટ વખાણ કરે છે અને જાહેરાતમાં ફોટા પણ મૂકે છે તેવી ચર્ચાઓએ જ્યારે જોર પકડ્યું છે ત્યારે આજે જ્યારે માં આશાપુરા ન્યૂઝ સાથે ટેલોફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે મારો ધ્યેય માત્ર પ્રજાલક્ષી કાર્યોને પુરા પાડવાનો છે, હું હમેંશા અબડાસાની પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપતો આવ્યો છું, કોઈ અન્ય પક્ષની વાહવાહી કરવી તે મારો હેતુ ક્યારે પણ રહ્યો નથી.

અગાઉ જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાએ તાજેતરમાં ભુજ ખાતે મેઘલાડુ મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુષ્કાળના દિવસોમાં કરેલી કામગીરીના મ્હોંફાટ વખાણ કરતા સૌનું ધ્યાન ખેંચાયું હતું તે સમયે માં આશાપુરા ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓ એ ભાજપ પક્ષ ને સમર્થન આપવાની વાત ને નકારી કાઢી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે લખતા-વાંચતા ન આવડતું હોવા છતાં પ્રજામાંથી લોકપ્રિય પ્રહરી તરીકે ભાજપના પ્રચંડ વેવમાં પણ 10 હજારથી વધુ મતે કોંગ્રેસની સીટ પરથી ચુંટાયેલા પ્રદ્યુમનસિંહની છાપ પ્રજાની પડખે રહેનારા નેતાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News