અછત સમયે મૂંગા ઢોરને બચાવવા મુંબઈ વસતા કચ્છીઓનો સિંહફાળો : સી.એમ. રૂપાણી
Contact News Publisher
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતી મતદાતાઓને રીઝવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ઉમેદવારો વતી ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ગુજરાત ભવન ખાતે કચ્છી સમાજે દુષ્કાળના સમયમાં કચ્છના મૂંગા ઢોરને બચાવવા બદલ રૂપાણી સરકારને બિરદાવી હતી.
કાર્યક્રમમાં માજી સાંસદ પુષ્પદાન ગઢવી, માજીમંત્રી તારચંદ છેડા, ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજભાઇ શાહ, વાગડ ચોવીસી મહાજનના પ્રમુખ ડો. નાગજીભાઇ રીટા, ઉપપ્રમુખ હંસાબેન ચરલા, મંત્રી ચંપકભાઇ નંદુ, ટ્રસ્ટી ભીમશીભાઇ કારિયા, વાગડના અગ્રણી ઉદ્યોગપતિઓ કીર્તિભાઇ ગાલા, વાડીલાલભાઇ ગડા, ધર્મેશભાઇ નિશર, વિશાઇભાઇ કારિયા તેમજ દિનેશભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.