ભુજ તાલુકા પંચાયતને તાળાબંધી કરવાના કેસમાં સાત કોંગ્રેસી સદસ્યો નિર્દોષ
Contact News Publisher
ભુજ તાલુકા પંચાયતને તાળાબંધી કરવાના જુના કેસમાં કોર્ટે સાત કોંગ્રેસી આગેવાનોને નિર્દોષ ઠેરવ્યા છે.
પૂર્વ તાલુકા વિકાસ અધિકારી દેવેન્દ્ર દ્યેડાએ કરેલી પોલીસ ફરિયાદ અંગેનો કેસ ભુજ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તત્કાલીન વિપક્ષી નેતા જુમા અલીમામદ સમા સહિત કોંગ્રેસના સાતેય સભ્યોને નિર્દોષ જણાવી છોડી મુકયા હતા. આ કેસમાં વકીલ તરીકે અમીરઅલી એચ. લોઢીયા, અંજુમ લોઢીયા સહિત અન્ય રહ્યા હતા. અદાલતમાં રજૂ કરાયેલા ૧૪ લેખિત, મૌખિક પુરાવાઓને ફરિયાદ પક્ષ સાબિત ન કરી શકયો હોવાનું તારણ આપી કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.