સતત ૧૩ વર્ષથી કચ્છના પ્રાણ પ્રશ્નોનાં જાગૃત સંત્રી, ”સત્યના સારથી” માં ન્યૂઝનો ૧૪માં વર્ષમાં મંગલ પ્રવેશ

Contact News Publisher

રાજ્યની દ્રષ્ટિએ બહોળો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાએ અનેક વખત કાળની ઝાપટ ખાઈ વધુ વેગે બેઠું થયું છે પણ જીલ્લામાં નબળી નેતાગીરીના લીધે ”કચ્છી માડું” ના પ્રાણ પ્રશ્નોને રાજકીય ગ્રહણ લાગી જતું હોય છે ત્યારે માં આશાપુરા ન્યૂઝ એક જાગૃત સંત્રીની જવાબદારી નિભાવતા ”કચ્છી માડું” ના પ્રાણ પ્રશ્નોને વાચા આપી કચ્છની સમસ્યાઓને ઉચ્ચસ્તરે નોંધ પહોચાડી એક સક્ષમ ”સત્યના સારથી” ની ભૂમિકા સુપેરે નિભાવવામાં સફળ રહ્યું છે.

જેના ફળ સ્વરૂપે બહુ જ સામાન્ય સમય ગાળામાં કચ્છી પ્રજાનો અનહદ પ્રેમ, સહકાર અને હુંફ મેળવી માં ન્યૂઝની યૂ-ટ્યૂબ ચેનલ ”માં ન્યૂઝ લાઈવ” એ ૧,૨૫,૦૦૦,એક્ટિવ સબસ્ક્રાઇબર્સ ની ઉચ્ચ સિધ્ધી હાંસલ કરી, ૧૩ વર્ષની આ ગૌરવયાત્રામાં અનેક પડકારોનો સામનો કરી હમેંશા કચ્છના છેવાડાના વિસ્તારોમાં રહેલા ”કચ્છી માડું” ના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાના ”માં ન્યૂઝ” ના આ અભિગમને કચ્છની પ્રજાનો આવકાર સાંપડ્યો છે.

આવનારા સમયમાં પણ આ જ અભિગમને આગળ ધપાવતા, માં ન્યૂઝ અને કચ્છની જનતાના સહિયારા પ્રયાસો થકી કચ્છના અતિ મહત્વના કહી શકાય તેવા પ્રશ્નોને ઉજાગર કરી, તેનું યોગ્ય નિરાકરણ લાવવા પાછલા વર્ષો જેમ જ હમેશા કટ્ટીબધ્ધ રહેશું. આપનો પ્રેમ, સહકાર અને હુંફ આજ રીતે મળતા રહે તેવી કચ્છની ખમીરવંતી પ્રજા સમક્ષ અભ્યર્થના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *